પ્રણિપાત

વિકિકોશમાંથી
  • ન.
    • અત્યંત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક નીચા નમીને પગે લાગવું તે; વંદન; પ્રણામ; પંચાંગ નમન; બે ગોઠણ; બે હાથ અને મસ્તક નમાવી ભૂમિનો સ્પર્શ કરવો તે; નમસ્કાર.
      • વ્યુત્પત્તિ: [સંસ્કૃત] પ્ર ( વિશેષ ) + નિપાત ( નીચે પડવું તે )
      • ઉપયોગ: ઉગ્ર નિષ્ઠા અને ભક્તિ જાગ્રત કરનાર છો, એક પ્રચંડ વિભૂતિ પ્રણિપાતો પુન: પુન: – ગાંધીગીતા.
      • ઉદાહરણ:
        1921, રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ, સ્વામી વિવેકાનંદ, page ૧૬:
        तद् विद्धि प्राणिपातेन परिप्रश्नेन सेवया ।
        उपदेश्यति ते ज्ञानं ज्ञानिनः तत्त्वदर्शिनः ।।
        ઉપલા ભગવદ્ વાક્યમાં કહ્યા પ્રમાણે પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવાપૂર્વક જે જીજ્ઞાસુજનો એવા મુક્તાત્માઓનો સત્સંગ સેવે છે; તેઓ કુદરતી રીતેજ ( નદી-નવાણની પાસે જઈ નીચા નમી પાણી પીનારની તૃષા ટળે છે તેમ ) તેમના અદ્ભુત જ્ઞાન, ચારિત્રનો લાભ મેળવી શકીને પરિણામે–દીવે દીવા પ્રગટે તેમ-સ્વાત્મજ્યોતિને પ્રકટાવી કૃતકૃત્ય બની રહે છે.
    • પગમાં પડી નમન કરવું એ, પગેલગણ
  • પું.
    • કાલાવાલા કરવા તે; આજીજી કરવી તે.

સંદર્ભ[ફેરફાર કરો]